મૃતકોની શાંતિ અર્થે મોરબી રાજવી પરિવાર દ્વારા આવતીકાલે શાંતિ યજ્ઞ યોજાશે,જાહેર આમંત્રણ

- text


મોરબી: મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા તથા સદગતોના આત્માની શાંતિ અર્થે મોરબી રાજવી પરિવાર દ્વારા આવતીકાલે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે તારીખ 3 નવેમ્બર ને ગુરૂવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમિયાન દરબારગઢ ખાતે આ શાંતિ યજ્ઞ યોજાશે.જેમાં મોરબીના લોકોને સહભાગી બનવા રાજવી પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે

- text

- text