પંજાબના કેબિનેટ મિનિસ્ટર હરભજન સિંહ ટંકારામાં આજે “આપ”ની જાહેરસભા ગજાવશે

- text


આમ આદમી પાર્ટી ટંકારા તાલુકામાં આજે સાંજે પદયાત્રા નીકળ્યા બાદ ઉગમણા નાકે સભા સંબોધન કરવામાં આવશે

ટંકારા : વિધાનસભાની ચૂંટણીને લઈને મતદારોને આકર્ષવા માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા દ્રારા આજે 18ના રોજ સાંજે 4 કલાકે લતિપર ચોકડીથી ઉગમણાનાકા ચોક સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

ટંકારામાં આમ આદમી પાર્ટી દ્વારા આજે પદયાત્રા બાદ ઉગમણા નાકે પંજાબના કેબિનેટ મિનિસ્ટર હરભજન સિંહ જાહેરસભાને સંબોધન કરશે. આ તકે ટંકારા પડધરી વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયભાઇ ભટાસણા તેમજ તાલુકાના હોદેદારો હાજર રહેશે, આ સભામાં તાલુકાના તમામ લોકોને સંગઠનમંત્રી નરોતમભાઈ ગોસરાએ જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. યાત્રાનો પ્રારંભ લતીપર ચોકડી ખાતે થશે ત્યારબાદ ડેરીનાકા રોડ, દયાનંદ સરસ્વતી ચોક, ધેટીયા વાસ બાદ સભા સ્થળે યાત્રા પહોંચશે.

- text

- text