મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મુખ્યમંત્રી સાથે બેઠક : વિવિધ પ્રશ્ને રજુઆત

- text


રાજ્યમંત્રી મેરજાની અધ્યક્ષતામાં થયેલી આ મુલાકાતમાં મુખ્યમંત્રીએ પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે દાખવ્યો હકારાત્મક અભિગમ

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્ને આજે રાજ્યમંત્રી મેરજાની અધ્યક્ષતામાં સિરામિક ઉદ્યોગકારોની ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે મીટીંગ કરીને રજુઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ રજુઆતને ધ્યાને લઈને સિરામિક ઉદ્યોગના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.

- text

રાજયમંત્રી બ્રિજેશ મેરજાના રાહબરી હેઠળ સિરામિક ઉદ્યોગકારોની ગાંધીનગર ખાતે ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સાથે મીટીગ યોજાઈ હતી અને સિરામિક ઉદ્યોગના પ્રશ્ને રજુઆત કરતા મુખ્યમંત્રીએ મોરબી સિરામીક ઉધોગના વિવિધ પ્રશ્નો બાબતે હકારાત્મક પરીણામ આવે તે માટે લાગુ પડતા વિભાગોમા સુચના આપી હતી. આ તકે આપણા મંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષતામા સિરામીક એશોસીએસનના પ્રમુખ વિનોદભાઇ ભાડજા , કિરીટભાઇ પટેલ તેમજ નિલેષભાઇ જેતપરીયા અને મનોજભાઇ પટેલ પણ સાથે જોડાયા હતા. ત્યારે આગામી સમયમા મોરબીના ઉધોગો માટેના પ્રશ્નો સુપેરે પાર પડે તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાની મહેનત રંગ લાવી હતી.

- text