મોરબી જિલ્લાના અખિલ ગુજરાત રાજપુત યુવાસંધના પ્રમુખની વરણી

- text


મોરબી : અખિલ ગુજરાત રાજપુત યુવાસંધની ૩૧મી વાર્ષિક પ્રદેશ કાર્યકર્તા શિબીર નાથદ્વારા રાજસ્થાન ખાતે યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લાના અખિલ ગુજરાત રાજપુત યુવાસંધના પ્રમુખ તરીકે જયવંતસિંહ એચ. જાડેજા (સગાળીયા) તથા મહામંત્રી તરીકે રાજવિરસિંહ પી. સરવૈયા (છત્રાસા)ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

ડો. જયેંન્દ્રસિંહ જાડેજા, દિપકસિંહ ઝાલા, પી.ટી. જાડેજા, આઇ.કે.જાડેજા તથા મોરબીના હાજર તમામ ભાઇઓ બહેનોએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલ હતી. ક્ષત્રિય રાજપુત સમાજની આ ઇન્ટરનેશનલ રાજપુત સંસ્થા છે. વિદેશમા લંડન તથા અમેરીકા ખાતે યોજાયેલ રાજપુત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ જયવંતસિંહ એચ. જાડેજા ભાગ લઇ ચુકેલ છે. મોરબી જ્યારે રાજકોટ જિલ્લામાં હતું ત્યારે તેઓ આ સંસ્થાના રાજકોટ જિલ્લાના પ્રમુખ રહી ચુકેલ છે.

- text

- text