17મીએ શક્ત શનાળા ખાતે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

- text


મોરબીઃ શક્ત શનાળાના ઉમિયાનગર સોસાયટી ખાતે આગામી તારીખ 17 ઓક્ટોબરને સોમવારના રોજ રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાનાર છે.

જેમાં 17 ઓક્ટોબરે સવારે 9 કલાકે મામાદેવનું મહાપૂજન થશે. સાંજે 6 કલાકે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે 9 કલાકે ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર અને ચાંદલીયાવાળા મામાદેવના ભુવા યુવરાજસિંહ રાઠોડ હાજરી આપશે. ડાક ડમરુના કાર્યક્રમમાં રાવળદેવ ભાવેશભાઈ ગુજ્જર તથા સાથી ગ્રુપ આ નવરંગા માંડવાની શોભા વધારશે. આ નવરંગા માંડવામાં વિવિધ પંચના ભુવા પણ હાજરી આપશે. તો રંગીલા મામાદેવના આ નવરંગા માંડવામાં પધારવા માટે પ્રવિણભાઈ માંડણભાઈ બારોટે સૌને આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text