ટંકારાના બંગાવડી રામડુંગરી રામાપીર મંદિરે આવતીકાલે ભંડારો યોજાશે

- text


ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે આવેલા રામડુંગરી રામાપીર મંદિરના સંત વાલદાસ બાપુના નિધન બાદ આવતીકાલે ભંડારો યોજવામાં આવશે.

ગત તારીખ 30 ઓગસ્ટના રોજ રામડુંગરી રામાપીર મંદિરના સંત વાલદાસ બાપુના નિધન બાદ સમાધી આપવામાં આવી હતી. ત્યારે આગામી તારીખ 9 ઓક્ટોબર ને રવિવારના રોજ શરદ પૂનમના દિવસે બાપુનો ભંડારો રાખવામાં આવ્યો છે.

- text

જે અન્વયે 9 ઓક્ટોબરે ભંડારા નિમિત્તે સાંજે 3 વાગ્યે સંતના સામૈયા કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કલાકાર વિજયભાઈ ચૌહાણ અને સાથી કલાકારો દ્વારા સંતવાણીમાં ભજનની રમઝટ બોલાવવામાં આવશે.

- text