કાલે મોરબીમાં વડાપ્રધાન મોદી આવાસ યોજના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે

- text


મોરબી : આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે અંબાજી ખાતે આવાસ યોજના અંતર્ગત ગૃહ પ્રવેશ થશે. જે અન્વયે મોરબી પાલિકા દ્વારા વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં લાભાર્થીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાશે.

- text

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે 30 સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગૃહ પ્રવેશ/લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અને આવાસ યોજનાના લાભાર્થીઓ સાથેના વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ મોરબી નગરપાલિકા કમ્પાઉન્ડ, મોરબી ખાતે યોજાશે. સાંજે 5 કલાકે યોજાશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા ઉપસ્થિત રહેશે.

- text