મિતાણા ખાતે સમસ્ત જાડેજા પરિવાર દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

- text


 

ટંકારાઃ નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે કચ્છ ખાતેના માતાના મઢ મોટી સંખ્યામાં પદયાત્રિકો દર્શનાર્થે જઈ રહ્યા છે. ત્યારે પદયાત્રિકો માટે મિતાણા ખાતે સમસ્ત જાડેજા પરિવાર દ્વારા સેવા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

મિતાણા ખાતે સમસ્ત જાડેજા પરિવાર મિતાણા દ્વારા માતાના મઢ જતાં પદયાત્રિકો માટે સેવા કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે. હાલ આ સેવા કેમ્પ શ્રદ્ધાળુઓથી ધમધમી ઉઠ્યો છે. આ સેવા કેમ્પમાં પદયાત્રિકોને 24 કલાક જમવા, આરામ કરવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવા કેમ્પમાં જાડેજા દિગ્વિજયસિંહ દિલીપસિંહ, જયદીપસિંહ મોહનસિંહ, ધનશ્યામસિંહ હેમતસિંહ, ચન્દ્રપાલસિંહ દેવેન્દ્રસિહ, દિવ્યરાજસિંહ નારાયણસિંહ સહિતના જાડેજા પરીવાર મિતાણાના યુવકો સેવા આપી રહ્યા છે.

- text

 

- text