ટી-20 વર્લ્ડ કપ માટે ભારતની ટિમ જાહેર : આ 15 ખેલાડીઓની થઈ પસંદગી

- text


મોરબી : ટી-20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઈ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમ જાહેર કરવામાં આવી છે. ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. રોહિત શર્માની કેપ્ટન અને કેએલ રાહુલની વાઇસ કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે.

આ ટીમમાં ઇજાના કારણે રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો નથી.ટીમમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઇ છે. બન્ને ફાસ્ટ બોલર ઇજાના કારણે એશિયા કપમાં રમી શક્યા ન હતા. વર્લ્ડ કપની મેચો 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રમાશે.


ટીમના 15 પ્લેયર્સ

રોહિત શર્મા (કેપ્ટન)
કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન)
વિરાટ કોહલી
સૂર્યકુમાર યાદવ
દીપક હુડા
ઋષભ પંત
દિનેશ કાર્તિક
હાર્દિક પંડ્યા
આર. અશ્વિન
યુઝવેન્દ્ર ચહલ
અક્ષર પટેલ
જસપ્રિત બુમરાહ
ભુવનેશ્વર કુમાર
હર્ષલ પટેલ
અર્શદીપ સિંહ


સ્ટેન્ડબાય પ્લેયર્સ

મોહમ્મદ શમી
શ્રેયસ અય્યર
રવિ બિશ્નોઈ
દીપક ચહર


- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text