મોરબી શિક્ષક દિને વર્તનથી પરીવર્તન કાર્યક્રમ યોજાયો

- text


સાર્થક વિદ્યાલય ખાતે આનંદાલય દ્વારા યોજાયો કાર્યક્રમ

મોરબી : મોરબીની સાર્થક વિદ્યાલય ખાતે શિક્ષક દિનની ઉજવણી નિમિતે આનંદાલય દ્વારા વર્તન થી પરીવર્તન કાર્યશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

મોરબી સાર્થક વિધાલયમાં આનંદાલય દ્વારા શિક્ષક ગૌરવ દિન નિમિત્તે હેમાબેન દવે મહોદયાના અતિથિ સ્થાને વર્તન થી પરીવર્તન કાર્યશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૭ જેટલા સારસ્વત મિત્રો અને વાલીઓ જોડાયા હતા.વિશિષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા પરીચય અને ૨૧મી સદીના માનવ-શિક્ષકનો સામર્થ્યપ્રાશ લેખ પર ચિંતન કરવું તેમજ સજ્જતા પર પોતાની જાત પર મનન કરી ચર્ચા કરવામાં આવી હતી.આનંદાલય સંકલ્પપત્ર પર વિવિધ પાસાઓ પર લખાણ કરવામાં આવ્યું હતું.

- text

આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં ચારીત્ર નિર્માણ થાય એ માટે સૌએ સંકલ્પ કર્યો હતો.આ કાર્યશાળાનું સમગ્ર સંચાલન ડો.પાયલબેન ભટ્ટે કર્યું અને તમામે પોતાના અભિપ્રાય પણ આપ્યા હતા.

- text