ટંકારાના કલ્યાણપુર ગામે કડવા પાટીદાર સમાજ ભવનનું 25મીએ ખાતમુહૂર્ત

- text


 

ભવનના નિર્માણમાં યોગદાન આપનાર તમામનો સન્માન સમારોહ પણ યોજાશે

ટંકારા : કલ્યાણપુર ગામે ટંકારા તાલુકા કડવા પાટીદાર સમાજ ભવનના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી તા.25ના રોજ સવારે 9 કલાકે આ ભવનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ સાથે કડવા પાટીદાર સમાજ ભવનના નિર્માણમાં અમૂલ્ય આર્થિક યોગદાન આપનાર અને પાયાના કાર્યકરો એવા દરેક ટંકારા તાલુકાના ગ્રામ્ય સમિતિના હોદ્દેદારો અને સભ્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પધારવા હીરાભાઈ ફેફર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

 

- text