મોરબીના જાડેજા પરિવારે શહિદોના પરિવારને આર્થિક સહયોગ આપી પુત્રનો જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : નિવૃત ડેપ્યુટી એન્જીનિયર  જશવંતસિંહજી જાડેજા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનાબા જાડેજાના પૌત્ર અને યુવા ઉદ્યોગપતિ અભિજીતસિંહ જાડેજાના પુત્ર તીર્થરાજસિંહનો સ્વાતંત્ર્ય પર્વના દિવસ જન્મદિવસ હતો. જેને અનોખી રિતે ઉજવીને યાદગાર બનાવવામા આવ્યો છે.

જાડેજા પરિવારે લાડકવાયા પુત્રના જન્મદિવસે જમ્મુ કાશ્મીરના પૂંચ સેકટરમાં શહીદ થયેલા હરીશસિંહ પરમાર તથા સિક્કિમ સેકટરમાં શહીદ થયેલા હિતેષસિંહ પરમારના પરિવારજનોને આર્થિક સહયોગ કર્યો હતો. આમ શહીદ જવાનોના પરિવારજનોને મદદરૂપ બની જાડેજા પરિવારે પુત્રના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

- text

- text