- text
મોરબી : જે એ પટેલ મહિલા કોલેજની વાણિજ્ય શાખાની તમામ વિદ્યાર્થીનીઓ આઝાદી અમૃત મહોત્સવ નિમિતે જાગૃતિ અભિયાન રેલીઓ યોજવામાં આવી હતી.આશરે ૪૦૦ વિદ્યાર્થીનીઓ રેલીમાં જોડાઈ હતી.
કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, મોરબી સંચાલિત શ્રીમતી જે એ પટેલ મહિલા કોલેજની વાણિજ્ય શાખાની આશરે ૪૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા સવારે ૮:૩૦ થી ૧૧:૧૫ વાગ્યા સુધી કૉલેજ થી આજુબાજુની સોસાયટી જેમ કે ચિત્રકૂટ, ચંદ્રેશ, પુનિત, સરદારનગર, હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, નવા બસ સ્ટેશન, સરદાર બાગ વગેરે સ્થળોએ આઝાદી અમૃત મહોત્સવ નિમિતે જાગૃતિ અભિયાન રેલીઓ યોજવામાં આવી હતી. જેનું સુકાન એમ વી દલસાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને સાથે પ્રિન્સિપાલ ડો.પી.કે.પટેલ પણ જોડાયા હતા.
- text
- text