વાંકાનેરમાં રેન્જ આઇજીની ઉપસ્થિતિમાં E-FIR જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


વાંકાનેર : વાહનચોરી, મોબાઈલ ચોરી જેવા કિસ્સામાં લોકોને ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન નહિ જવું પડે અને ઘર બેઠા જ E-FIR નોંધાઇ તેવી સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવતા આ અંગે જનજાગૃતિ લાવવા આજે વાંકાનેર ખાતે રેન્જ આઇજીની ઉપસ્થતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

- text

સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે મોબાઈલ અને વાહન ચોરીના કિસ્સામાં E-FIR નોંધવાનું શરૂ કરવામાં આવતા આ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા તથા E-FIR અંગે પ્રચાર – પ્રસાર માટે રાજકોટ રેન્જ આઈ.જી. સંદીપસિંહની અધ્યક્ષતામાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા કાર્યક્રમનું આજરોજ સંસ્કાર ભવન, ગાયત્રી મંદિર સંચાલિત સ્કૂલ, ગાયત્રી મંદિર પાસે વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

- text