હળવદ આયુર્વેદ દવાખાના ખાતે શુક્રવારે નિ:શુલ્ક સર્વરોગ હોમિયોપેથી સારવાર કેમ્પ યોજાશે

- text


હળવદ : હળવદ સરકારી આયુર્વેદિક દવાખાના ખાતે આગામી તારીખ 12 ઓગસ્ટને શુક્રવારના રોજ સવારે 9:00 થી 01:00 વાગ્યા દરમિયાન નિ:શુલ્ક સર્વરોગ હોમિયોપેથી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીની સુચના અન્વયે આયોજિત આ સારવાર કેમ્પમાં નવા ઘનશ્યામ ગઢના સરકારી હોમિયોપેથી દવાખાનાના મેડિકલ ઓફિસર ડોક્ટર એન.સી. સોલંકી સેવા આપશે. આ કેમ્પમાં ચામડીના રોગો, પેટ આંતરડાના રોગો, સાંધાના રોગો, કિડની તથા પિતાશયની પથરી ઉપરાંત માથાનો દુખાવો, આધાશીશી કે અન્ય ચેતાતંતુને લગતા રોગો બીપી, ડાયાબિટીસ વગેરેની સારવાર કરવામાં આવશે. કેમ્પનો લાભ લેનાર દરેક દર્દીએ જુના રિપોર્ટ ની ફાઈલ સાથે લાવવાની રહેશે.

- text