- text
મોરબી : નાગપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં સ્થિત નાગપુર ડિવિઝનના કન્હાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે.જેના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, રદ કરાયેલી ટ્રેનોમાં
- text
• ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ 07.08.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસ 09.08.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ 10.08.2022 અને 11.08.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ 12.08.2022 અને 13.08.2022ના રોજ રદ
- text