મોરબીથી ભંગેશ્વર જવા માટે શ્રાવણ માસમાં દોડશે એકસ્ટ્રા એસટી બસ

- text


મોરબી : આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે. શ્રાવણ માસમાં શિવભક્તો મોરબીથી મોટી સંખ્યામાં ભંગેશ્વર મહાદેવ મંદિર જતા હોય એસટી વિભાગ દ્વારા મોરબીથી ભંગેશ્વર જવા માટે એકસ્ટ્રા બસ મૂકવામાં આવી છે.

મોરબી એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે મોરબીથી ભંગેશ્વર જવા માટે એક્સ્ટ્રા બસનું આયોજન આજથી કરવામાં આવ્યું છે. મોરબીથી ભંગેશ્વર જવા માટે સવારે 8-30 કલાકે અને સાંજે 4 કલાકે મોરબીથી બસ મળશે. એસટી ડેપોની આ વધારાની સુવિધાથી ભંગેશ્વર દર્શનાર્થે જતાં ભાવિકોને લાભ મળશે.

- text

- text