મોરબી સતવારા સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે 

- text


આગામી તા.13 ઓગષ્ટ સુધીમાં ફોર્મ ભરી જમાં કરાવી દેવા અનુરોધ

મોરબી : મોરબી સતવારા સમાજ દ્વારા ધોરણ 9 થી કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે.જેમાં શૈક્ષણિક પુરસ્કાર અને ઈનામ આપવામાં આવશે.તેમજ ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષયવૃત્તિ આપવામાં આવશે.આ માટે આગામી તા.13 ઓગષ્ટ સુધીમાં ફોર્મ ભરી જમાં કરાવી દેવા અનુરોધ કરાયો છે.

મોરબી વિસ્તારમાં રહેતા અને સતવારા નવગામ જ્ઞાતિ તરીકે ઓળખાતા સતવારા નવગામ જ્ઞાતિ-મોરબી સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા ધોરણ નવથી કોલેજ તેમજ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા હોય અને વર્ષ 2022માં પરીક્ષા પાસ કરેલ હોય, તેવા વિદ્યાર્થી ભાઈ- બહેનોને શૈક્ષણિક પુરસ્કાર -ઇનામ વિતરણ કરવામાં આવશે. સતવારા જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ફોર્મ મેળવવા માટે માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં મહાદેવભાઈ ડાભી મો.9426974377 ,કે. કે .પરમાર મો.9426932441, વિજયભાઈ ડાભી મો.9925642164, મહેશભાઈ કંઝારિયા મો.9913900661 ,વજેપર અને વજેપર વાડી વિસ્તારમાં તરુણભાઈ પરમાર મો.9033424906 ,ગોવિંદભાઈ હડિયલ મો.9998049695 અને દેવજીભાઈ ચાવડા મો.9427236309 વાઘપરા વિસ્તારમાં પ્રકાશભાઈ સોનગરા મો.9427236200, કેતનભાઇ પરમાર મો.963880300 , વિજયભાઈ પરમાર મો.7567535245અને રમણીકભાઈ પરમાર મો.9426930401 તેમ જ ગ્રામ્ય વિસ્તારમાં લખમણભાઇ કંઝારિયા મો.94262 26175 પાસેથી ફોર્મ મેળવી- ભરીને તા.13/8 સુધીમાં દરેક વિસ્તારના કાર્યકરને પહોંચાડી આપવું.

- text

આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપવાની હોય, તો તેવા વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભરીને સમયસર પહોંચાડી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text