- text
વ્યાસપીઠ પર શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવે બિરાજમાન થશે
મોરબી : મોરબીની પવિત્ર ધરતી પર આગામી તારીખ 3 ઓગસ્ટને બુધવારથી 9 ઓગસ્ટને મંગળવાર સુધી નીલકંઠ મહાદેવ મંદિર, શંકર આશ્રમ, સત્સંગ હોલ, મોરબી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના વ્યાસપીઠ પર સુપ્રસિદ્ધ વક્તા કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે બિરાજમાન થશે.
કથા દરમિયાન પોથીયાત્રા, શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યોપદેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રીસુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ઉજવાશે. કથાનો સમય બપોરે ૩ થી ૬ કલાક સુધીનો રહેશે. કથા શ્રવણ માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
કોઈપણ યજમાનોને પોતાના પિતૃઓના ફોટા રાખી અને પોથી પાટલા માટે મો.નં. 80009 11444 પર નામ નોંધાવવા જણાવ્યું છે.
- text