31 જુલાઈએ મોરબી રાજપુત સમાજનો સરસ્વતી સન્માન સમારંભ યોજાશે

- text


મોરબી : મોરબી રાજપૂત સમાજ દ્વારા આગામી તારીખ 31/7/2022 ને રવિવારના રોજ બપોરે 12:30 કલાકે પંચમુખી હનુમાનજી મંદિર (સત્સંગ હોલ), વેજીટેબલ રોડ, મોરબી-2 ખાતે સરસ્વતી સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ધોરણ 5 થી અનુસ્નાતક કક્ષા તેમજ વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર સમાજના વિદ્યાર્થીઓ અને પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર, સન્માન તેમજ સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવશે.

- text

આ ભવ્ય આયોજનમાં શંકરસિંહ વાઘેલા, કિરીટસિંહ રાણા, કીર્તિસિંહ વાઘેલા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ગીતાબા જાડેજા, ગાયત્રીબા વાઘેલા, આઈ.કે. જાડેજા, ડો. રુદ્રસિંહ ઝાલા, અશોકસિંહ પરમાર, દેવેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા, પૃથ્વીસિંહ જાડેજા, પી.એમ.જાડેજા, ડો. અર્જુનસિંહ રાણા તેમજ સંદીપસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે. આ કાર્યક્રમમાં જ્ઞાતિજનોને પધારવા પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા તેમજ મહામંત્રી મહાવીરસિંહ જાડેજા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text