જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઘુંટુ ગામનો વિદ્યાર્થી ઉતિર્ણ

- text


મોરબીઃ આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઘુંટુ ગામની નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થી ગઢીયા દિપ અશોકભાઈ ઉતિર્ણ થયો છે. જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા, ઘુંટુ ગામ અને નવોદય વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળાના આચાર્ય કિરીટભાઈ સાણજા તેમજ સમગ્ર સ્ટાફ તેમજ નવોદય પરિવારે ગઢીયા દીપને અભિનંદન પાઠવ્યા છે.

- text

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ-૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ-પના વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં વિદ્યાર્થી પાસ થાય તેવું દરેક વાલી ઈચ્છતા હોય છે. આ પરીક્ષા ઉતિર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી આપવામાં આવે છે.

- text