વરસાદની અગાહીને પગલે મોરબી યાર્ડમાં કાલથી ત્રણ દિવસ હરરાજી બંધ રહેશે

- text


મોરબી : હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવતા મોરબી માર્કેટીંગ યાર્ડમાં આવતીકાલ તારીખ 7/7/2022 થી તારીખ 9/7/2022 એમ ત્રણ દિવસ સુધી અનાજ વિભાગની આવક તથા હરરાજીનું બંધ રહેશે. એકમાત્ર આવતીકાલ તારીખ 07/07/2022 ના રોજ હરરાજી કરવામાં આવશે.

- text

રવિવારની રજા બાદ તારીખ 11/7/2022 ને સોમવારથી માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે. આ દિવસો દરમ્યાન ખેડૂતો પોતાનો માલ લાવી શકશે નહીં. જેની એજન્ટો, વેપારીઓ, ખેડૂતો તથા લાગતા વળગતા સર્વેને નોંધ લેવા યાર્ડ સત્તાધીશોની યાદીમાં જણાવાયુ છે.

- text