મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના અને છાત્ર સન્માન સમારોહ યોજાશે  

- text


મોરબી : મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા 75 વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સીટીઝનો માટે વડીલ વંદના કાર્યક્રમ આગામી તા.17 ના રોજ અને ધોરણ 1 થી 12ના તેજસ્વી છાત્રોનો સન્માન કાર્યક્રમ આગામી તા.31ના રોજ યોજવામાં આવશે.

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન આગામી તા.31/07/2022ના રોજ કરવામાં આવ્યું છે. જ્યાં ‘સરસ્વતી સન્માન’ કાર્યક્રમના નેજા હેઠળ ધો.1 થી 12ના છાત્રોને સન્માનિત કરવામાં આવશે.આ અંગે રામાનંદી સાધુ સમાજના પ્રમુખના જણાવ્યા અનુસાર ધો.1 થી 9ના જે વિદ્યાર્થીઓએ 80% અને ધો. 10 થી 12માં 70 ટકાથી વધુ પરિણામ મેળવ્યું હોય તેઓએ માર્કશીટની પ્રમાણિત નકલ રામાનંદ ભવન,રામઘાટ, મોરબી ખાતે સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં તા.10/07/2022થી 23/07/2022 સુધીમાં જમા કરાવવાની રહેશે.

- text

વધુમાં,રામાનંદી સાધુ સમાજ દ્વારા ‘વડીલ વંદના’ કાર્યક્રમ યોજાશે.તે ઉપરાંત રામાનંદી સાધુ સમાજ દ્વારા ભારે પરિશ્રમથી ભણાવીને જીવનનો નવો રાહ ચિંધનારા વડીલોનું ઋણ અદા કરવાના ભાગરુપે તા.17/07/2022ના રોજ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીવનનો સાચો માર્ગ બતાવનારા સમાજના આ વડીલોનું સન્માન કરાશે.

સમાજના 75 વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સીટીઝનોઓ પોતના ઉંમરના પુરાવા સ્વરૂપે આધારકાર્ડ કે જન્મનો દાખલો તેમની અરજી સાથે રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે સવારે 10 થી 12 સુધીમાં તા.15/07/2022 સુધીમાં જમા કરાવવાની રહેશે. આ બંને મુદ્દે વધુ માહીતી માટે મોબાઈલ નં. 98799 93705 અને 70590 97002 સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text