બટુકભોજન થકી વવાણિયાના દિવંગત મહંતને શ્રદ્ધાંજલિ અર્પણ

- text


હળવદના મયુરનગર ગામના રહીશે પુણ્ય આત્માને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી

હળવદ : વાવણીયાના જગપ્રસિદ્ધ રામબાઈ માતાજીના મંદિરના મહંતની અણધારી વિદાયથી તેમના સેવકો અને અનુંયાયીમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. ત્યારે હળવદના મયુરનગર ગામના રહીશે પુણ્ય આત્માને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં બટુકભોજન થકી વવાણિયાના દિવંગત મહંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text

માળીયા તાલુકાના વાવણીયાના જગપ્રસિદ્ધ રામબાઈ માતાજીના મંદિરના મહંત જગન્નાથબાપુ તાજેતરમાં દેવલોક પામ્યા હતા. ગુજરાત આહીર સમાજની મુખ્ય જગ્યા માતુશ્રી રામબાઈમાં મંદિર વવાણીયાના ગાદીપતિ સંત જગન્નાથજી મહારાજ દેવલોક પામતા ઘેરો શોક વ્યાપી ગયો હતો. આ પુણ્ય આત્માને તેમણે કંડારેલી કેડી એટલે સેવાકીય પ્રવૃત્તિઓ થકી જ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે હળવદ મયુરનગર રામબાઈમાં મંદિર દ્વારા દાતા પ્રભાતભાઈ મયડના સહયોગથી બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને સદગતના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

- text