મોરબીના મહેન્દ્રનગરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર પ્લોટીંગ એરીયામાં રહેતા પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર પ્લોટીંગ એરીયામાં રહેતા શિતલબેન મનીષભાઈ વિડજા, ઉ.32 નામના પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text