પ્રમાણિકતા : કિંમતી મોબાઈલ મૂળ માલિકને પરત આપતા એસટી બસ ચાલક 

- text


મોરબી : મોરબી – રાજકોટ વચ્ચે ચાલતી ઇન્ટરસિટી બસના ડ્રાઈવરે મળી આવેલો કિંમતી મોબાઈલ ફોન મૂળ માલિકને પરત સોપી પ્રામાણિકતા દર્શાવી છે.

- text

ગઈકાલે મોરબીના નિલેશભાઈ સુરેશભાઇ પ્રજાપતિ જેઓ ઇન્ટરસિટી બસ મારફત રાજકોટ ગયા હતા. મુસાફરી દરમ્યાન તેઓનો અંદાજિત ₹ 30,000ની કિંમતનો મોબાઈલ ફોન પડી ગયો હતો. આ મોબાઈલ ફોન બસ ડ્રાઇવર વિજયભાઈ ભાનુભાઈ બારોટને મળ્યો હતો. તેથી વિજયભાઈ બારોટે આજે આ મોબાઈલ મૂળ માલિકને પરત સોંપી પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text