ધોરણ 1 થી 3માં અંગ્રેજી વિષયના વિરોધમાં કલેક્ટરને આવેદન 

- text


મોરબી સરસ્વતી શિશુમંદિર દ્વારા જિલ્લા કલેકટર તથા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી નિર્ણયની ફેરવિચારણા કરવા રજુઆત 

મોરબી: ધોરણ 1 થી 3માં અંગ્રેજી વિષય શરૂ કરવાના નિર્ણયનો વિરોધ કરી સરકારને આ બાબતે ફેરવિચારણા કરવા મુદ્દે આજરોજ મોરબીની સરસ્વતી શિશુમંદિર દ્વારા જિલ્લા કલેકટર તથા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન અપાયું હતું.

- text

ધોરણ 1 થી 3માં અંગ્રેજી વિષય શરૂ કરવાના સરકારના નિર્ણયમાં ફેર વિચારણા કરવા મુદ્દે મોરબીની સરસ્વતી શિશુમંદિરની વ્યવસ્થાપક ટીમ દ્વારા મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ તથા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.જે. સોલંકીને રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોરબી જિલ્લા કાર્યવાહક મહેશભાઈ બોપલીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

- text