માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીના માંચડે લટકાવો

- text


મોરબી દશનામ ગૌસ્વામી યુવક મંડળ દ્વારા કલેકટરને આવેદન અપાયું

મોરબી : કોડીનાર પંથકમા માત્ર 8 વર્ષની ફૂલ જેવી નિર્દોશ બાળકી ઉપર એક નારાધમે હેવાનીયતભર્યું દુષ્કર્મ ગુજારી હત્યા કરી નાખતા આ સમગ્ર સમાજને શર્મસાર કરતી ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. આ ઘટનાને લઈને મોરબી દશનામ ગૌસ્વામી યુવક મંડળે કલેકટરને આવેદન આપી માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીના માંચડે લટકાવાની માંગ કરી છે.

- text

દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા કલેક્ટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, કોડીનાર તાલુકના જંત્રાખડી ગામે માનવતાને શર્મસાર કરે તેવી ઘટનામાં 8 વર્ષની દિકરી ઉપર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરીને લાશને કોથળામા પેક કરીને ફેંકી દીધી હતી. પોલીસ તપાસમાં આરોપી તેજ ગામનો રહેવાસી 50 વર્ષનો શામજી ભીંના સોલંકી હોવાનું ખુલ્યું છે. હાલ આ આરોપને પોલીસે ઝડપી લીધો છે. અને આગળની કાર્યવાહી ચાલુ છે. આવી ઘટના અવાર-નવાર દરેક સમાજમાં થતી રહે છે. તો આવી ઘટનાઓને અટકાવવા સરકારએ આવા આરોપી પર કડક પગલા લેવા જોઇએ. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવા સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં જે રીતે નિર્ણય કરી આરોપીને ફાસીની સજા મળી તે રીતે આ આરોપી શામજીને પણ ફાસી સજા થાય તેવી માંગ કરી છે.

- text