11 જૂને વિશ્વ વિખ્યાત કવિ ડો. કુમાર વિશ્વાસ મોરબીમાં, સન સિટી ગ્રાઉન્ડમાં યોજાશે કાવ્ય કળશનો જાહેર કાર્યક્રમ

- text


શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ- મોરબી દ્વારા ભવ્ય આયોજન : દરેક સમાજના લોકો માટે વિનામૂલ્યે એન્ટ્રી

મોરબીઃ વિશ્વ વિખ્યાત કવિ ડો. કુમાર વિશ્વાસને સાંભળવા એ એક લ્હાવો છે. ત્યારે આ લ્હાવો મોરબીની જનતાને મળવા જઈ રહ્યો છે. આગામી તારીખ 11 જૂનને શનિવારના રોજ એટલે કે આવતીકાલે દેશ-વિદેશમાં જાણીતા કવિ ડો. કુમાર વિશ્વાસ મોરબીમાં આવી રહ્યા છે. શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ- મોરબી દ્વારા કાવ્ય કળશ જાહેર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં ડો. કુમાર વિશ્વાસ પોતાની કવિતાઓથી મોરબીવાસીઓને મંત્રમુગ્ધ કરશે.

- text

મોરબીના રવાપર ખાતે સન સિટી ગ્રાઉન્ડ (હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડ) ખાતે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ- મોરબી દ્વારા ભવ્ય કાવ્ય કળશ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 11 જૂન ને શનિવારના રોજ સાંજે 8 કલાકથી યોજાનાર આ કાર્યક્રમમાં જાણીતા કવિ ડો. કુમાર વિશ્વાસ પોતાની કવિતાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. ડો. કુમાર વિશ્વાસ ઉપરાંત અમિત શર્મા, ચેતન ચર્ચિત, સુમન દુબે, સુદીપ ભોલા, જાની બજરંગી પણ પોતાની કવિતાઓથી શ્રોતાઓને મનોરંજન પૂરું પાડશે. આ તકનો અચૂક લાભ લેવા શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.

- text