મોરબીના ભરતનગર નજીક ટ્રકની ઠોકરે બાઈકચાલકનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીના ભરતનગર નજીક ખોખરા હનુમાન પાસે બાઈક લઈને જઈ રહેલા આધેડને ટ્રક ચાલકે ઠોકર મારતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર નજીક પ્રજાપત કારખાના પાછળ રહેતા અજીતભાઇ ભવાનભાઇ હળવદીયા પોતાનું સુપર સ્પ્લેન્ડર બાઈક લઈને જતા હતા ત્યારે ગત.તા.7ના રોજ સવારે ટ્રક નંબર GJ-10-X-9273ના ચાલકે અચાનક ટ્રક વળાંક વાળી અજીતભાઇને ઠોકર મારતા અજીતભાઇને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

અકસ્માત સર્જ્યા બાદ ટ્રક નંબર GJ-10-X-9273નો ચાલક નાસી છૂટતા આ બનાવ અંગે મૃતક અજીતભાઇના પુત્ર સુનીલભાઇ અજીતભાઇ હળવદીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

- text