મોરબીમાં અપહરણ થયેલ બાળક પરિવારને સોંપાયું, આરોપીની પૂછપરછ શરૂ

- text


મોરબી પોલીસે માત્ર 28 કલાકમાં અપહરણ કરનાર આરોપી અને બાળકને શોધી લીધા : અપહરણ કરવાનું કારણ જાણવા પૂછપરછ શરૂ

આરોપી દુકાનદાર બાળકને ગોલો ખવડાવાની લાલચ આપી પ્રથમ ધ્રાંગધ્રા અને માલવણ તરફ લઈ ગયા બાદ જામનગર તરફ લઈ ગયો હતો

મોરબી : મોરબીના ઘુંટુ રોડ પરની ઉમા રેસિડેન્સીમાં રહેતા મામાના ઘરે વેકેશન કરવા આવેલ 7 વર્ષના ભાણેજ પર્વ ભાવેશભાઈ વિડજાને એ જ વિસ્તારમાં બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઇ જગોદરા 3 જૂને સાંજે ગોલો ખવરાવવાના બહાને અપહરણ કરી લઈ ગયો હતો. ત્યારે જામનગર પોલીસે આરોપીને બાળક સાથે ઝડપીને મોરબી પોલીસને સોંપ્યો છે. અને મોરબી પોલીસ સવારે 6 વાગ્યે આરોપીને મોરબી લઈ આવી છે અને બાળકને સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો છે.

બાળક તેના મામા રાજેશ શામજીભાઈ જોટાણીયાને ત્યાં વેકેશનમાં આવ્યો ત્યારે તેનું અપહરણ કરાયું હતું.જેથી પરિવાર પણ ચિંતિત બન્યો હતો. હવે બાળક સુરક્ષિત મળી જતા પરિવાર હાલ માનતા પુરી કરવા માટે ગયો છે. પોલીસ હાલ આરોપીની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ બાદ જ અપહરણનું સાચું કારણ બહાર આવશે.

- text

સૂત્રો માંથી મળતી માહિતી મુજબ આરોપી માનસિક સાયકો હોવાના કારણે આ પગલું ભર્યું હતું. જો કે આરોપી રાજેશે બાળકને ક્યાંય પણ ઇજા પહોચાડેલ નથી

બાળકના માતા – પિતા સહિતના પરિવારેજાનોએ બાળક અપહરણ થતા હેમખેમ પાછો આવી જાય તેની માનતાઓ રાખેલ જે બાળક આવતા જ પુરી કરવા ગયા છે .

અપહૃત બાળકને શોધવાની કામગીરીમાં મોરબી એલ.સી.બી. પો.ઇન્સ. એમ.આર.ગોઢાણીયા, મોરબી તાલુકા પો.સ્ટે. પો.ઇન્સ વીરલ પટેલ તથા પો.સ.ઇ.એન.બી.ડાભી, એન.એય ચુડાસમા, એ.ડી.જાડેજા, વી.બી.પીઠીયા તથા મોરબી એલ.સી.બી, પેરોલફર્લો સ્ક્વોડ, એ.એચ.ટી.યુ. તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફના કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ દિશામાં તાપસ કરતા માત્ર 28 કલાકમાં જ બાળકને શોઘી અને કાબેલદાદ કામગીરી કરી હતી.

- text