- text
મોરબીઃ મોરબીના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. મોરબી એસ.ટી. ડેપો દ્વારા આજે તારીખ 19 મેથી બે નવા રૂટ શરૂ કરવામાં આવશે. જેથી મુસાફરોની સુવિધામાં વધારો થશે.
મોરબી એસ.ટી. ડેપોના મેનેજર દિલીપ શામળાના જણાવ્યા મુજબ, આજથી મોરબી-ભાવનગર-તળાજા બસ રૂટનો પ્રારંભ થશે. મોરબીથી આ બસ સવારે 5.15 કલાકે ઉપડશે અને મોરબી-દ્વારકા-ઓખા બસના રૂટનો પણ પ્રારંભ થશે જે બસ બપોરે 1-45 કલાકે ઉપડશે. આ બસ સેવાનો લાભ લેવા મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો છે.
- text
- text