મહેન્દ્રનગરના માજી સરપંચની પુણ્યતીથી નિમિતે સત્સંગ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


રક્તદાન કેમ્પમાં 220 રક્ત બોટલ એકત્રિત થઇ

મોરબી : મહેન્દ્રનગરના માજી સરપંચની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સત્સંગ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત વેક્સિનેશનનો ત્રીજો ડોઝ અને ડાયાબિટીસ-બીપી ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.રક્તદાન કેમ્પમાં 220 રક્ત બોટલ એકત્રિત થઇ હતી.

મહેન્દ્રનગરના માજી સરપંચ,વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યોમાં પોતાનું જીવન સંપૂર્ણ સમર્પણ કરીને પ્રજાના હૃદયમાં સ્થાન મેળવનાર સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બોપલિયા પરિવાર તેમજ મહેન્દ્રનગરના યુવાનો દ્વારા ગત તા.3ના રોજ રાત્રે 8 કલાકે સત્સંગ સંધ્યાનું અને સવારે 8:30 કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી તથા સંતોની હાજરીમાં ભજનિક શૈલેષ મહારાજ,વિવેક સંચલા તેમજ યુવા સાહિત્યકાર રવીન્દ્ર સોલંકી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી.તેમજ તેઓના હસ્તે અશ્વિનભાઈની પોસ્ટલ ટિકિટનું અનાવરણ કરવામાં આવું હતું અને આશીર્વચન આપવામાં આવ્યા હતા.

- text

- text