વાંકાનેરમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા પ્રાર્થના ખંડના લાભાર્થે શનિવારે લોકડાયરો

- text


વાંકાનેર : વાંકાનેરમાં દશનામ ગોસ્વામી સમાજના સમાધિ સ્થાન ખાતે નિર્માણાધીન પ્રાર્થના ખંડના લાભાર્થે શનિવારે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં આવેલ દશનામ ગોસ્વામી સમાજના સમાધિ સ્થાન ખાતે પ્રાર્થના ખંડ બનાવવામાં આવી રહ્યો છે. જેના લાભાર્થે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આગામી તા. 7ના રોજ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજનિક હર્ષદગીરી ગોસ્વામી, ભજનિક દિવ્યેશગીરી ગોસ્વામી, ભજનિક નીતાબેન ગોસ્વામી તેમજ હાસ્ય કલાકાર અજયભાઇ દેસાણી ભજનો રજૂ કરશે. લોકડાયરો પ્લે હાઉસ ટોકીઝ, પ્રતાપ ચોક ખાતે રાખેલ છે.

વધુ વિગત માટે નિલેશગીરી ગોસ્વામી 98257 26909નો સંપર્ક કરી શકાશે. દશનામ ગોસ્વામી સમાજના સમાધિ સ્થાનના નિર્માણમાં આર્થિક સહયોગ આપવા તેમજ લોકડાયરોનો લાભ લેવા આયોજકોએ ધર્મપ્રેમી જનતાને અપીલ કરી છે. દાન કરવા ઇચ્છતા લોકો માટે ઓનલાઇન પેમેન્ટની વિગત નીચે મુજબ છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (વાંકાનેર, ગુજરાત)
બેંક એકાઉન્ટ નંબર 6801021200006
ગૂગલ પે નંબર 96649 23705

- text

- text