- text
આજે બપોરના ત્રણ બાળકો ન્હાવા માટે તળાવ કાઠે આવ્યા હતા
હળવદ : હળવદ શહેરમાં આવેલ સામંતસર તળાવ માં આજે બપોરના બાર વર્ષનો બાળક તળાવમાં દડો પડીજતા તેને કાઢવા તળાવમાં પડતા ગરકાવ થઈ ગયો હતો જોકે ભારે શોધખોળ બાદ ધળતી સાંજે આ બાળકની લાશને તળાવમાંથી બહાર કાઢવામાં આવી છે હાલ બાળકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલી ખારીવાડી વિસ્તારમાં રહેતા સિદ્ધાર્થભાઈ દિનેશભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ ૧૨ તેના બે મિત્રો સાથે સામંતસર તળાવકાંઠે નાવા માટે ગયા હતા તે વેળાએ અન્ય મિત્રોએ દડો પાણીમાં ઘા કરતા સિદ્ધાર્થ દડાને લેવા તળાવના ઉંડા પાણીમાં પડતાં ડૂબી ગયો હતો.
આ બનાવની જાણ તેની સાથે રહેલ તેના બે મિત્રોએ સિદ્ધાર્થના પરિવારજનોને કરતા તેઓ તાત્કાલિક તળાવકાંઠે દોડી આવી સ્થાનિક તરવૈયાઓની તેમજ હળવદ પાલિકા ના તરવૈયાઓની મદદથી તળાવમાં શોધખોળ આદરી હતી તેવામાં બાળકની લાશને તળાવના ઉંડા પાણીમાં થી બહાર કાઢવામાં આવી છે.
- text
ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે મૃત બાળકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે
- text