મેરુપરમાં શુક્રવારે મોગલધામના લાભાર્થે લોકડાયરો યોજાશે

- text


હળવદ : મોગલમાં મંદિરના વિકાસના કામના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સંતો-મહંતો હાજરી આપશે.આ લોકડાયરામાં લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોગલમાં મંદિરના વિકાસના કામના લાભાર્થે લોકડાયરાનું તા.29ને શુક્રવારના રોજ રાત્રે 9:30 કલાકે મોગલધામ મંદિર,મેરુપર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.લોકડાયરામાં લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડ,ભજન આરાધક જયમંતભાઈ દવે,લોક ગાયીકા રેખાબેન વાળા,સ્ટેજ સંચાલક પી.વી.જાદવ અને ભજનિક પ્રિતેશભાઇ દવે ઉપસ્થિત રહેશે.આયોજક મોગલધામ મેરુપર ટ્રસ્ટ તથા મોગલછોરું-04 ટીમ દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં આઈ દેવલમાં,આઈ લક્ષ્મીમાં,વચ્છરાજ બેટના પ્રમુખ ચૌહાણ લખમણબાપુ,બાવળીયાળીના રામબાપુ અને દુધઇધામના રામબાપુ હાજર રહેશે.

- text

- text