મંત્રી બ્રિજેશ મેરજા કાલે ગુરૂવારે મોરબી- માળિયામાં : ભરચક કાર્યક્રમો

- text


 

મોરબી : મંત્રી બ્રિજેશભાઈ મેરજા કાલે ગુરૂવારે મોરબી જિલ્લાની મુલાકાતે આવવાના છે. અહીં મોરબી અને માળિયા તાલુકામાં તેઓના ભરચક કાર્યક્રમો છે. અનેકવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે.

તેઓ સવારે 5 વગતે ગાંધીનગરથી રવાના થશે અને 9 વાગ્યે માળિયાના તરઘરી ગામે પહોંચશે. જ્યાં સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ 9:30એ તેઓ સરવડ ગામે બ્લોક હેલ્થ મેળામાં હાજરી આપશે.10:30 વાગ્યે તેઓ મોરબી સિવિલ હોસ્પિટલમાં આયોજિત બ્લોક મેળામાં હાજરી આપશે.

- text

11:30એ તેઓ બગથળા ગામે રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. 4 વાગ્યે તેઓ વેણાસર ગામે ડાંગર પરિવાર આયોજિત શ્રીમદ ભગવદ સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં હાજરી આપશે. સાંજે 4:30 કલાકે તેઓ કુંભારિયા ગામના પીવાના પાણીના પ્રશ્નો સંદર્ભે ગામની મુલાકાત લેશે. રાત્રે 8 વાગ્યે તેઓ સ્વ.ડી.કે. પટેલના સ્મરણાજલી કાર્યક્રમમાં હાજરી આપશે.

- text