મોરબીમાં હિંદૂ ઓમ સનાતન સંગઠન દ્વારા અનોખી ઝુંબેશ

- text


હિંદૂ જાગૃતિ અભિયાન અંતર્ગત હિન્દુ બનીએ – એક બનીએ અને સંગઠિત થઈ જ્ઞાતિવાદ બંધ કરીએ ” નો સંદેશાનો પ્રચાર

મોરબી : હિંદૂ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન અંતર્ગત “હિન્દુ બનીએ – એક બનીએ અને સંગઠિત થઈ જ્ઞાતિવાદ બંધ કરીએ “નો સંદેશાનો પ્રચાર કરવામાં આવ્યો હતો.તેમજ પોતાના ઘર,મકાન,વ્યવસાયના સ્થળ પર ભગવો ધ્વજ લગાવા ધ્વજ પણ વિનામૂલ્યે આપ્યા હતા.

હિંદૂ ઓમ સનાતન સંગઠન દ્વારા મોરબી જિલ્લાની સમગ્ર સનાતની હિંદુ જનતાને જ્ઞાતિવાદ મૂકીને “હિન્દુ બનીએ – એક બનીએ અને સંગઠિત થઈ જ્ઞાતિવાદ બંધ કરીએ ” એવા મેસેજ સાથે તેમની સંસ્થા અને તેમના કાર્યકર્તાઓ દ્વારા દરેક મોટર સાયકલમાં,દરેક રિક્ષામાં,દરેક કારમાં,દરેક ધંધા રોજગારમાં,મોબાઈલ ઉપર પણ હિન્દુ લખેલું સ્ટીકર લગાડવામાં આવી રહ્યું છે.આ કાર્ય જોઈ દરેક નાના-મોટા યુવાનો વડીલો બહેનો અને વેપારીઓ આ ઝુંબેશમાં જોડાવા લાગ્યા છે.

દરેક હિંદુના ઘર,ઓફિસ,દુકાન,ધંધા,રોજગાર ઉપર ભગવો ધ્વજ લહેરાવી શકાય તે માટે વિનામુલ્યે ધ્વજની વહેંચણી કરવામાં આવે છે અને દરેક ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.આ સાથે જે વેદો અને શાસ્ત્રો આપણે ભૂલી ગયા છીએ તે વૈદિક સંસ્કૃતિને પણ જાગૃત કરવા ઘરે ઘરે વેદો પહોંચાડવામાં આવી રહ્યા છે.રામસેતુ પુલ બાંધવામાં જેમ ખિસકોલીએ પણ પોતાની ભૂમિકા ભજવી હતી.તેવી જ રીતે હિંદુ જાગૃતિ અભિયાન અને આપણી સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાના આવા અથાગ પ્રયત્નો કરવામાં હિંદુ ઓમ સનાતન સંગઠનની કામગીરીને ઘણા લોકો સ્વીકારી છે.જે પણ હિંદુ સનાતની ભાઈઓ તથા બહેનોને સ્ટીકર કે ધ્વજા લગાવવા ઇચ્છતા હોય તે લોકો વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલયમાં સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text