દિલ્હીમાં આઇકોનિક સપ્તાહ સમારોહ અંગેની કોન્ફરન્સમાં ભાગ લેતાં રાજયમંત્રી

- text


ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા સંમેલનનું ઉદ્ઘાટન

મોરબી : દિલ્હી ખાતે આજ રોજ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઇકોનિક સપ્તાહ સમારોહ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે.જેના અનુસંધાને યોજાયેલ કોન્ફરન્સમાં રાજયમંત્રીએ ભાગ લીધો હતો.પ્રથમ દિવસે ભારતના ઉપરાષ્ટ્રપતિ આ સંમેલનને ખુલ્લુ મુકશે અને માર્ગદર્શન આપશે.

ભારત સરકારના પંચાયત રાજ મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૧ થી ૧૭ સુધીના સપ્તાહને આઇકોનિક સપ્તાહ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે.જેના અનુસંધાને વિવિધ વર્કશોપ અને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં જિલ્લા/તાલુકા/ગ્રામ્યકક્ષાએથી ચૂંટાયેલા પદાધિકારીઓને આઇકોનિક સપ્તાહમાં ભાગ લેવા જણાવવામાં આવેલ છે.

આજ તા.૧૧ના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે યોજાનાર પંચાયતી રાજના મંત્રીઓની આ પરિષદમાં ગુજરાત રાજયના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહી પરિષદને સંબોધન કરનાર છે.પ્રથમ દિવસે આ સંમેલનને ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ ઉપસ્થિત રહી આ સંમેલનને ખુલ્લુ મુકશે અને માર્ગદર્શન આપશે.

આ સંમેલનમાં સમગ્ર ભારતના વિવિધ રાજયોના પંચાયત મંત્રીઓ ઉપરાંત પંચાયત અધિકારીઓ ઉપસ્થિત રહેશે.ગુજરાતમાંથી પ્રથમ દિવસે એટલે કે આજ રોજ તા.૧૧ને સોમવારના રોજ કુલ ૧૦૦ પદાધિકારીઓ હાજર રહેનાર હોવાનું જણાવાયેલ છે. સમગ્ર સપ્તાહ દરમ્યાન વિવિધ થીમ પર તારીખ અને વાર મુજબ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

- text

- text