ઘનશ્યામપુરમાં 8મીથી સ્વામિનારાયણ સંપ્રદાયની રાત્રીય સત્સંગ કથા

- text


હળવદ : હળવદના ઘનશ્યામપુરમાં સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ત્રિ-દિવસીય રાત્રીય સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.સત્સંગ કથામાં આવનાર માટે પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે.આ ત્રિ- દિવસીય રાત્રીય સત્સંગ કથામાં લોકોને આમત્રંણ આપવામાં આવ્યું છે.

હળવદના ઘનશ્યામપુરમાં સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ઘનશ્યામપુર(ગોરી) સત્સંગી સમસ્ત દ્વારા ત્રિ- દિવસીય રાત્રીય સત્સંગ કથાનું આગામી તા.8 થી 10 સુધી રાત્રે 8:30 થી 11 વાગ્યા સુધી નવા પ્લોટમાં,ઘનશ્યામપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.સભા પુરી થયા બાદ પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.તા.8ના રોજ ચરાડવાના સ્વામી દિવ્યપ્રકાશદાસ,તા.9ના રોજ ચરાડવાધામના સ્વામી ભક્તિવિહારીદાસ અને મુળીધામના સ્વામી વ્રજવલ્લભદાસ પ્રવચન આપશે.હળવદના સ્વામી સ્વરૂપદાસ પ્રેરક તરીકે ઉપસ્થિત રહેશે.કાંકરિયાના સ્વામી વાસુદેવાનંદ વિશેષ મહેમાન તરીકે હાજર રહેશે. આ કથાનો લાભ લેવા હરિભક્તોને અપીલ કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text