મોરબીમાં 13મીએ વિનામૂલ્યે આયુર્વેદીક નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીમાં જન જાગૃતિ અભિયાન તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર-મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદીક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

જન જાગૃતિ અભિયાન તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર-મોરબી દ્વારા મહિનાના ત્રીજા રવિવારે વિનામૂલ્યે આયુર્વેદીક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.પરંતુ આ મહિનામાં ડોક્ટર રજા પર રહેવાના હોવાથી કેમ્પ આગામી તા.13ને બુધવારના રોજ સવારે 10 થી 1 વાગ્યા સુધી ગાયત્રી ચેતના કેન્દ્ર,ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ-મોરબી ખાતે યોજાશે.કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.રજીસ્ટ્રેશન કરાવા માટે મો.6352299810 પર સંપર્ક કરવો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text