વાંકાનેર વઘાસીયા ફાટક નજીક સળગેલી હાલતમાં આધેડ મળી આવ્યા : સારવાર દરમિયાન મોત

- text


રહસ્યમય ઘટનામાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા તપાસ શરૂ

વાંકાનેર : વાંકાનેર નજીક વઘાસીયા ફાટક પાસેથી સળગી ગયેલ હાલતમાં અંદાજે 50 વર્ષીય આધેડ મળી આવતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં મૃત્યુ નિપજતા રહસ્યમય ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના વઘાસીયા ફાટક પાસે રોડ ઉપર એક અજાણ્યો પુરુષ ઉ.વ. આશરે 50 વર્ષ વાળો કોઇ કારણસર દાજી ગયેલ હાલતમાં મળી આવતા પ્રથમ વાંકાનેર સરકારી દવાખાને ખસેડાયા બાદ વાંકાનેર એમ્બ્યુલન્સના ડ્રાઇવરે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ ઉપર ડો. મીતલ સાંગાણીએ મૃત જાહેર કરતા વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text