- text
ઘટનામાં ભોગ બનનારે અરજી કર્યા બાદ 25 દિવસે ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેરના આરોગ્ય નગરમાં પાંચ વર્ષ પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી પિતા પુત્રએ ઘર ઉપર પથ્થર ફેંકી ધારીયા વડે મકાનમાં અને વાહનમાં તોડફોડ કરતા 25 દિવસ પહેલાની ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર આરોગ્યનગરમાં રહેતા ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલાને પાંચ વર્ષ આગાઉ પાડોશમાં રહેતા આરોપી રાજદિપસિંહ જયેન્દ્રસિંહ ઝાલાના પિતા જયેન્દ્રસિંહ સાથે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી ગત તા.17 ફેબ્રુઆરીના રોજ રાજદિપસિંહ જયેન્દ્રસિંહ ઝાલાએ ઘર ઉપર પથ્થરના ઘા કર્યા હતા.
- text
વધુમાં પોતાના ઘર ઉપર પથ્થરના ઘા થતા ફરિયાદી ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલાએ આવું નહિ કરવા સમજાવી આરોપીના પિતાને બોલવવાનું કહેતા પિતા અને પુત્ર ધારીયા સાથે ધસી આવ્યા હતા અને ઘરમાં ધારીયાના ઘા ઝીકી એક્ટિવા મોટર સાયકલમાં પણ ધારીયાના ઘા મારી નુકશાન પહોંચાડતા બન્ને વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં અરજી કરી હતી.
દરમિયાન ગઈકાલે આ મામલે વાંકાનેર સિટી પોલીસે બન્ને આરોપી પિતા – પુત્ર વિરુદ્ધ આઈપીસી કલમ ૪૪૭,૪૨૭,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text