મોરબીના પ્રોફેસરે શ્વાનના મોક્ષાર્થે શાંતિપાઠ અને બટુક ભોજન કરાવ્યું

- text


મોરબી : મોરબીના એલ.ઇ. કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કે.એફ.ભેટારિયાએ પોતાના 13 વર્ષના શ્વાનનું મોત થતા હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરી શાંતિ પાઠ અને બટુક ભોજન પણ કરાવ્યું હતું.

- text

મોરબીના સામાં કાંઠે આવેલ એલ.ઈ. કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને કોલેજના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા કે.એફ. ભેટારીયા પ્રકૃતિ અને પશુપ્રેમી હોવાને કારણે તેમણે શ્વાનનું ઘરના સભ્યની જેમ જતન કર્યું હતું. શ્વાનનું ગત તા. 20 ના રોજ 13 વર્ષેની વયે અવસાન થતાં તેના હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યા હતા. અને ગઈકાલે તેમના આત્માની શાંતિ માટે શાંતિ પાઠ કર્યો હતો અને બટુકોને ભોજન પણ કરાવી પોતાનો પશુ પ્રેમ વ્યક્ત કર્યો હતો.

- text