- text
મોરબી : મોરબીમાં આવેલા કુબેરનાથ મંદિરના મહંતે ભગવાન મહાદેવનો રુદ્રાભિષેક અને મહાપૂજા કરી લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી.
મોરબીમાં આવેલ કુબેરનાથ મંદિરના મહંત અને મોરબી સમસ્ત ગોસ્વામી સમાજના પ્રમુખ અને સમૂહલગ્નના પ્રણેતા ગુલાબગીરીએ તેમની મેરેજ એનીવર્સરીની ઉજવણી અનોખી રીતે કરી હતી. જે માટે સવારે મંદિરમાં રુદ્રાભિષેક, સાંજે મહાપૂજા અને દીપ પ્રજ્વલિત કર્યા હતા. તેમજ બે મિનિટનું મૌન પાળીને પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં મંદિરના મહંત પરિવાર, ટ્રસ્ટી મંડળ, યંગ ઇન્ડિયા ગ્રુપ સાથે તેના મેન્ટર દેવેન રબારી, મોરબી જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ અશોકસિંહ જાડેજા અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
- text
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text