મોરબીમાં ગુમશુદા વૃદ્ધનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો

- text


મોરબી : મોરબીમાં રહેતા વૃદ્ધ થોડા દિવસ પહેલા લાપતા બન્યા હતા. જેનો મૃતદેહ નદીમાંથી તરતો મળી આવ્યો છે.

- text

મોરબીમાં રોહીદાસપરા શેરી નં.-6માં રાધે-ક્રિષ્ના મંદીર પાસે રહેતા દેવજીભાઇ મોહનભાઇ શુક્લ (ઉ.વ. 60) ગત તા. 28 જાન્યુઆરીના રોજ ઘરેથી કોઇને કહ્યા વગર જતા રહેલ હતા. ત્યારબાદ ગત તા. 2ના રોજ તેમની ડેડબોડી પાડા પુલ નીચે રેલ્વે ટ્રેકના પીલોર નં. 6 અને 7 વચ્ચે નદીમાં તરતી મળી આવી છે. હાલમાં પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી બનાવની તાપસ હાથ ધરી છે.

- text