રોટરી ક્લ્બ દ્વારા ગીર આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન

- text


કેમ્પમાં અગાઉથી નામની નોંધણી કરાવી ફરજીયાત રહેશે

મોરબી : રોટરી ક્લ્બ ઓફ મોરબી દ્વારા ગીર આયુર્વેદ એટલે કે સ્વાસ્થ્યમંગલ વૈદિક પરંપરાથી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આગામી તા.6ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.શરીરના જટીલ રોગોની તપાસ કરી ગીર(સાસણ)ના વૈદ્ય જીજ્ઞેશભાઇ પટેલ દ્વારા યોગ્ય નિદાન કરવામાં આવશે.આ કેમ્પનો લાભ લેવા અગાઉથી નામની નોંધણી કરાવી ફરજીયાત રહેશે.

રોટરી ક્લ્બ ઓફ મોરબી દ્વારા સ્વાસ્થ્યમંગલ વૈદિક પરંપરાથી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ આગામી તા.6ને રવિવારના રોજ સવારે 9 થી 2 અને 2:30 થી 5 વાગ્યા સુધી,સેજપાલ હોલ,જલારામ પ્રાર્થના મંદિર,અયોધ્યાપુરી મેઈન રોડ,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કેમ્પમાં વર્ષોના અનુભવ અને આયુર્વેદના સમન્વયથી શરીરના જટીલ રોગોનું નાડી પરીક્ષણ દ્વારા યોગ્ય નિદાન,માર્ગદર્શન અને ઇલાજ ગીર(સાસણ)ના વૈદ્ય જીજ્ઞેશભાઇ પટેલ દ્વારા નિદાન કરવામાં આવશે.નિઃશુલ્ક નિદાન કેમ્પમાં જેમને જુના,હઠીલા રોગો હોય અને બધી જગ્યાએથી થાકેલા કે નિરાશ હોય તેવા દર્દીએ એક વાર ખાસ મુલાકાત કરવી.રોગો હાથપગ,ગોઠણ,કમરના મણકાને લગતી તકલીફ તથા વા ની તકલીફ,સાયટીકા,સોર્યાસીસ,સ્ત્રીરોગ,ડાયાબીટીસ જેવા જટીલ રોગોના સ્પેશ્યાલીસ્ટ દ્વારા નિદાન,સારવાર કરવામાં આવશે.આ તમામ રોગોની સારવાર કોઇપણ જગ્યાએ લીધેલ હોય અને ફર્ક ન પડયો હોય તેવોએ અચુક મુલાકાત લેવી.તેવું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ભાગ લેવા અગાઉથી નામ નોંધણી થયેલ હશે એ જ દર્દીઓને કેમ્પમાં તપાસવામાં આવશે.તેથી નામની નોંધણી કરાવી ફરજીયાત રહેશે.નામ નોંધવા માટે રોટે.ભરતભાઈ કાનાબાર મો.88490 31008,રોટે.સિધ્ધાર્થભાઈ જોશી મો.અને રોટે.હરીશભાઈ શેઠ મો.93761 61406 પર સંપર્ક કરવાનો રહેશે.તેમજ વધુ વિગત માટે કસ્ટમર કેર નં.63563 51115 પર સંપર્ક કરવો.

- text