- text
મોરબી : મોરબીમાં પરમાર પરિવાર દ્વારા કોરોના વાયરસના દર્દીઓ અને કોરોનાથી મૃત્યુ પામેલા દિવંગતો માટે વિષ્ણુ યજ્ઞ કરવામાં આવ્યો હતો.
- text
મોરબીમાં રહેતા પરમાર પરિવાર દ્વારા મોરભગતની વાડી ખાતે વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલના કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓના સ્વાસ્થ્ય માટે અને કોરોનાના લીધે અવસાન પામેલા સદગતોના મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
- text