મોરબીના જલારામ મંદિરના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લગ્નની વર્ષગાંઠ ઉજવતા અગ્રણી

- text


મોરબી : મોરબીના અગ્રણી જયરાજભાઈ સંપટની લગ્નની ૪૭મી વર્ષગાંઠ નિમિતે જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.મોરબી જલારામ પ્રાર્થના મંદિરના સભ્યોએ જયરાજભાઈ સંપટ અને તેમની પત્નીને લગ્નની વર્ષગાંઠની શુભકામના પાઠવી હતી.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના લગ્નદીવસની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના અગ્રણી જયરાજભાઈ સંપટે સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે.

- text

મોરબીના અગ્રણી જયરાજભાઈ સંપટ તથા જ્યોતિબેન સંપટ દ્વારા પોતાના લગ્નની ૪૭મી વર્ષગાંઠની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કરી હતી.તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી,ભાવીનભાઈ ઘેલાણી,નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ,અનિલભાઈ રાચ્છ,હસુભાઈ પંડિત,પપ્પુભાઈ ચંડીભમર,દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ લગ્નની વર્ષગાંઠની શુભકામના પાઠવી હતી. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text