વાંકાનેરના જોધપર નજીક સીએનજી રીક્ષા ટ્રકના ઠાઠામાં ઘુસી ગઈ : રીક્ષા ચાલકનું મોત

- text


ઓટો રિક્ષામાં બેઠેલા ચાર મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર નજીક સીએનજી ઓટો રીક્ષા ટ્રકના ઠાઠમાં ઘુસી જતા રીક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં બેઠેલા ચાર મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચતા અકસ્માતના આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જોધપર નજીક સીએનજી રીક્ષા રજીસ્ટ્રેશન નંબર GJ-03-BU-8758ના ચાલક ભાનુભાઇ કરમશીભાઇ ભાલીયા રહે. ભલગામ વાળાએ પોતાની રીક્ષા ટ્રકના ઠાઠામાં ભટકાડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં મુસાફરી કરતા અબ્દુલભાઇ, હુશેનભાઇ અલાઉદીનભાઇ વડાવીયા, ગોરધનભાઇ આંબાભાઇ તથા કાસમભાઇ ઉસ્માનભાઇ ખોરજીયાને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

- text

અકસ્માતની આ ઘટના અંગે રાજાવડલા ગામે રહેતા અફજલભાઇ અબ્દુલભાઇ વડાવીયાએ રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે મૃતક રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text